શિક્ષક એટલે કોણ ?
શિસ્તનો આગ્રહી બને તે શિક્ષક,
અન્યાય સામે ખુમારીવંતા બને તે શિક્ષક,
વિદ્યાર્થીઓ માટે પ્રેરક અને કલાકાર બને તે શિક્ષક,
કર્તવ્યનિષ્ઠા અને ક્ષમાશીલના દાખલા બેસાડે તે શિક્ષક,
શાળારૂપી મંદિરનો પૂજારી બને તે શિક્ષક,
સરસ્વતી માતા અને શારદાનો ઉપાસક બને તે શિક્ષક,
પરિવર્તનો દૂત બને તે શિક્ષક,
મા રૂપી મમતા અને પિતારૂપી જવાબદાર બને તે શિક્ષક,
નિ:સ્વાર્થ બાળપ્રેમ પ્રાપ્ત કરે તે શિક્ષક,
સંસ્કારોનું સિંચન કરે તે શિક્ષક,
પર્યાવરણનું મહત્ત્વ સમજાવે તે શિક્ષક,
એકતા, અખંડિતતા, દેશપ્રેમના પાઠો શીખવે તે શિક્ષક,
સૂર્યરૂપી તેજસ્વીતા અને ચંદ્રરૂપી શીતળતા બક્ષે તે શિક્ષક,
વિદ્યાર્થીરૂપી બાળકમાં માનવતાના ગુણ સીંચે તે શિક્ષક,
રાવણને ‘રામ’, દાનવને ‘માનવ’ બનાવે તે શિક્ષક,
Comments
Post a Comment