· મહાજન – ઉદ્યોગ
જાજ્વલ્યમાન શ્રેષ્ઠીઓ – વસ્તુપાળ – તેજપાળ
જન્મ : અનિર્ણિત
મૃત્યુ : વસ્તુપાળ આશરે
ઈ. સ. 1244
તેજપાળ આશરે ઈ. સ. 1252
જીવનકાર્ય : ગુજરાતના મંત્રીઓ તરીકે ગુજરાતને એક તંત્ર નીચે આણ્યું. શેત્રુંજ્ય અને ગિરનાર પરનાં દેવાલયોનું નિર્માણ કર્યું.
જન્મ : અનિર્ણિત
મૃત્યુ : વસ્તુપાળ આશરે
ઈ. સ. 1244
તેજપાળ આશરે ઈ. સ. 1252
જીવનકાર્ય : ગુજરાતના મંત્રીઓ તરીકે ગુજરાતને એક તંત્ર નીચે આણ્યું. શેત્રુંજ્ય અને ગિરનાર પરનાં દેવાલયોનું નિર્માણ કર્યું.
હિન્દના હાતિમતાઈ – સર જમશેદજી જીજીભાઈ
જન્મ : 1783
મૃત્યુ : 1859
જન્મસ્થળ : નવસારી
જીવનકાર્ય : પ્રમાણિક, દાનવીર ઉદ્યોગપતિ, એમના દાનમાંથી બંધાયેલી કેટલીક જાણીતી સંસ્થાઓ – સર જે. જે. હોસ્પિટલ, સર જે. જે. સ્કૂલ ઓફ આર્ટ, માહીમની ખાડી પર બાંધેલો કોઝવે.
ગુજરાતમાં મિલ ઉદ્યોગના સ્થાપક – રણછોડલાલ છોટાલાલ
જન્મ : 29 – 4 – 1823
મૃત્યુ : 26 – 10 – 1898
જન્મસ્થળ : અમદાવાદ
જીવનકાર્ય : 1861માં મે માસની 30 મી તારીખે ગુજરાતની સૌપ્રથમ મિલ અમદાવાદમાં શરૂ કરી, અમદાવાદમાં પાણીના નળ અને ગટર યોજનાની શરૂઆત કરી.
મહાન દાનેશ્વરી – પ્રેમચંદ રાયચંદ
જન્મ : 1835
મૃત્યુ : અપ્રાપ્ય
જન્મસ્થળ : સુરત
જીવનકાર્ય : શેર – સટ્ટામાં મોટી ઊથલપાથલ કરનારા સાહસિક વેપારી, તેમની દાન પ્રવૃત્તિ દેરાસર, ઉપાશ્રય સુધી સીમિત ન રહેતાં કેળવણી પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કર્યો હતો.
ભારતીય ઉદ્યોગના યુગપ્રવર્તક – જમશેદજી તાતા
જન્મ : 3 – 3 – 1839
મૃત્યુ : 19 – 5 – 1904
જન્મસ્થળ : નવસારી
જીવનકાર્ય : ભારતને ઔદ્યોગિક ક્રાંતિ આપી, 1907 માં 21 કરોડની પૂંજીએ જમશેદપુરમાં તાતા આયર્ન એન્ડ સ્ટીલ વર્કસ સ્થાપાય એ પહેલાં એમનું અવસાન થયું.
સાહસવીર શ્રેષ્ઠી,દાનવીર – નાનજીભાઈ કાલિદાસ મહેતા
જન્મ : 1888
મૃત્યુ : 25 – 8 – 1969
જન્મસ્થળ : ગોરાણા (જામનગર રાજ્ય)
જીવનકાર્ય : 1918 સુધીમાં યુગાન્ડામાં બાવીસ જીનિંગ ફેકટરીઓ ઊભી કરી, કંપાલાથી થોડેક દૂર એક ડુંગર પર ‘યુગાન્ડા સુગર ફેકટરી‘ સ્થાપી, રબર, ચા અને કોફીનાં ક્ષેત્રો ઉછેર્યાં, રાણાવાવ પાસે ‘સૌરાષ્ટ્ર સિમેન્ટ એન્ડ કેમિકલ્સ લિમિટેડ‘ ની સ્થાપના કરી.
શીલભદ્ર શ્રેષ્ઠી – કસ્તૂરભાઈ લાલભાઈ
જન્મ : 19 – 12 – 1894
મૃત્યુ : 20 – 1 – 1980
જન્મસ્થળ : અમદાવાદ
જીવનકાર્ય : સાત કાપડની મિલ સ્થાપી ‘કસ્તૂરભાઈ ગ્રૂપ ઓફ મિલ્સ‘નું એક સંકુલ બનાવ્યું. એમાંની એક ‘અરવિંદ મિલ‘ હતી. ‘અનિલ સ્ટાર્ચ‘ અને પછી વલસાડ નજીક અતુલ પ્રોડક્ટ્સ – રંગ, રસાયણોનું જંગી કારખાનું સ્થાપ્યું. અમદાવાદ એજ્યુકેશન સોસાયટીની સ્થાપના કરી. આ ઉપરાંત ઇન્ડિયન ઇન્સ્ટિટટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, સ્કૂલ ઓફ આર્કિટેકચર તથા અટિરા જેવી સંસ્થાઓ સ્થાપવાનો યશ એમને જાય છે. લાલભાઈ દલપતભાઈ ભારતીય વિદ્યામ;દિર (ઇન્ડોલોજી) પ્રાચ્યવિદ્યાઓના અભ્યાસીઓ માટે એક વિદ્યાતીર્થ છે.
પુરુષ સમોવડી નારી – સુમતિ મોરારજી
જન્મ : 13 – 3 – 1909
મૃત્યુ : 27 – 6 – 1990
જન્મસ્થળ : મુંબઈ
જીવનકાર્ય : 23 વર્ષની ઉંમરે સિંધિયા સ્ટીમ નેવિગેશન કંપનીમાં ડાયરેકટર તરીકે ચૂંટાયા. વહાણવટા ઉદ્યોગનો એમણે તલસ્પર્શી અભ્યાસ કર્યો હતો.
અમદાવાદની કાયાપલટ કરનાર – ચીનુભાઈ ચીમનલાલ મેયર
જન્મ : 1 – 11 - 1909
મૃત્યુ : 27 – 6 - 1993
જન્મસ્થળ : અમદાવાદ
જીવનકાર્ય : 19 ફેબ્રુઆરી, 1949 માં ચીનુભાઈ અમદાવાદના પ્રથમ મેયર બન્યા. અમદાવાદની કાયાપલટ કરી આધુનિક અમદાવાદના નિર્માતા બન્યા.
· રાજ-રજવાડાં
અવિસ્મરણીય રાજવી – સિદ્ધરાજ જયસિંહ
જન્મ : અનિશ્ચિત
મૃત્યુ : આશરે ઈ. સ. 1143
જન્મસ્થળ : અણહિલપુર પાટણ
જીવનકાર્ય : ગુર્જર ભૂમિને સત્તા અને પ્રતિષ્ઠાની પરાકાષ્ઠાએ પહોંચાડ્યું, વિદ્યા અને કળાને ઉત્તેજન, સિદ્ધપુરના રુદ્રમહાલય અને પાટણમાં સહસ્ત્રલિંગ તળાવનું બાંધકામ, દાનવીર.
જન્મ : અનિશ્ચિત
મૃત્યુ : આશરે ઈ. સ. 1143
જન્મસ્થળ : અણહિલપુર પાટણ
જીવનકાર્ય : ગુર્જર ભૂમિને સત્તા અને પ્રતિષ્ઠાની પરાકાષ્ઠાએ પહોંચાડ્યું, વિદ્યા અને કળાને ઉત્તેજન, સિદ્ધપુરના રુદ્રમહાલય અને પાટણમાં સહસ્ત્રલિંગ તળાવનું બાંધકામ, દાનવીર.
અમદાવાદનો સ્થાપક – અહમદ શાહ
જન્મ : 18 – 11 – 1392
મૃત્યુ : 1445
જન્મસ્થળ : દિલ્લી
જીવનકાર્ય : અમદાવાદનો પાયો નાંખ્યો, પવિત્ર જીવન, ભદ્રનો કિલ્લો, જુમ્મા મસ્જિદ, હૈબતખાનની મસ્જિદ, ત્રણ દરવાજાના નિર્માતા.
સવાયા રાજા – સયાજીરાવ ગાયકવાડ
જન્મ : 11 –3 – 1863
મૃત્યુ : 6 – 2 – 1939
જન્મસ્થળ : કવલાણા (મહારાષ્ટ્ર)
જીવનકાર્ય : વડોદરા રાજ્યના પ્રગતિશીલ રાજવી, મફત અને ફરજિયાત કેળવણી, ખેતીવાડી તથા ઉદ્યોગનું શિક્ષણ આપતી સંસ્થાઓની સ્થાપના, ગામેગામ પુસ્તકાલયો બંધાવ્યાં, અત્યંજો માટે શાળાઓ અને છાત્રાલયો, નારી વિકાસ, કાયદો અને વ્યવસ્થા સર્જી.
ભાવનગર ઉદ્ધારક – ગૌરીશંકર ઓઝા (ગગા ઓઝા)
જન્મ : 21 – 8 – 1805
મૃત્યુ : 1 – 12 – 1891
જન્મસ્થળ : ઘોઘા પાટણ
જીવનકાર્ય : ભાવનગર રાજ્યના કારભારી તરીકે સો જેટલી શાળાઓ શરૂ કરી, મહેસૂલ પદ્ધતિમાં સુધારણા કરી, ન્યાયપદ્ધતિની પુનરર્ચના કરી, પોલીસદળને શિસ્તબદ્ધ કર્યું, ગૌરીશંકર તળાવ બંધાવ્યું.
પ્રજાવત્સલ રાજવી – ગોંડલ નરેશ ભગવતસિંહજી
જન્મ : 24 – 10 – 1865
મૃત્યુ : 1945
જન્મસ્થળ : ધોરાજી (સૌરાષ્ટ્ર)
જીવનકાર્ય : ભગવદ્દગોમંડળ કોશનું સંપાદન, હોસ્પિટલ, હુન્નરશાળા, કેળવણીની અનેક સંસ્થાઓ સ્થાપી, દરબારી ગેઝેટ પ્રગટ કર્યું, જકાત માફી આપી વેપાર-ઉદ્યોગને ઉત્તેજન આપ્યું.
Comments
Post a Comment